Gujarati News

Gujarati News

News of Monday, 23rd April 2018

મિશનરીઓ દેશ માટે ખતરારૂપઃ ભાજપ સાંસદ

સોનિયા ગાંધી તેમના કહેવા પ્રમાણે કામ કરે છે!! ઇશાન રાજ્યોમાં ધર્માંતરણને લીધે લોકશાહી ભયમાં

બલિયા તા. ૨૩ : ઉ.પ્ર.માં ખ્રિસ્તી મિશનરીઓ ભારતની એકતા અને અખંડતા માટે ખતરા સમાન હોવાની વાત ભાજપના સાંસદ ભરત સિંહે કહીને કોંગ્રેસ પર એમની દોરવણી પ્રમાણે કામ કરવાનો આક્ષેપ કર્યો હતો. પત્રકારો સાથે વાતચીત કરતા ભારતે જણાવ્યું હતું કે ખ્રિસ્તી મિશનરીઓ પર કોંગ્રેસનું નિયંત્રણ છે. કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીના માતા સોનિયા ગાંધી મિશનરીઓના કહેવા પ્રમાણે કામ કરે છે. આ મિશનરીઓ ભારતની એકતા માટે ખતરા સમાન છે. ઇશાન ભારતના રાજયોમાં લોકશાહી અનેક લોકોએ કરેલા ખ્રિસ્તી ધર્મમાં ધર્માંતરને લીધે કથળી હોવાનો આક્ષેપ પણ ભારતે કર્યો હતો. ઇશાન ભારત ખ્રિસ્તી મિશનરીઓના અંકુશમાં છે. ભારતે વધુમાં જણાવ્યું હતું કે કોંગ્રેસ લોકશાહીમાં નથી માનતો. સુપ્રીમ કોર્ટે લોયા કેસમાં આપેલા ચૂકાદા બાદ ભાજપના પ્રમુખ અમિત શાહને બદનામ કરવાનો પ્રયત્ન કરનાર કોંગ્રેસની પોલ ખૂલી ગઇ છે. આ મામલે રાહુલે માફી માગવી જોઇએ. તાજેતરમાં ભારતે એવો આક્ષેપ કર્યો હતો કે બાબાસાહેબ આંબેડકરનું પ્રતિમાઓનું અપમાન કરવા પાછળ ખ્રિસ્તી મિશનરીઓનો હાથ હતો.(૨૧.૫)

(12:01 pm IST)