Gujarati News

Gujarati News

News of Saturday, 23rd March 2019

કોંગ્રેસ નેતા જિતિન પ્રસાદે કહ્યું કે હું ક્યાંય નથી જવાનો : આ બધી અફવા ભાજપ ફેલાવી રહ્યું છે

નવી દિલ્હી :કોંગ્રેસ નેતા જિતિન પ્રસાદે ભાજપમાં સામેલ થવાના અહેવાલને રદીયો આપી તેને અફવા ગણાવી હતી જિતિન પ્રસાદે જણાવ્યુ કે, ભાજપ દ્વારા કેટલીક અફવા ફેલાવવામાં આવી રહી છે. આ પહેલા એવા અહેવાલ સામે આવ્યા હતા કે, કોંગ્રેસના દિગ્ગજ નેતા જિતિન પ્રસાદ ભાજપમાં સામેલ થઈ શકે છે.

  જિતિન પ્રસાદને કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના સૌથી નજીકના સાથી ગણવામાં આવે છે. મીડિયા સાથેની વાતચીત દરમ્યાન જિતિન પ્રસાદે ભાજપમાં સામેલ થવા અંગે કોઈપણ પ્રકારનો જવાબ આપ્યો નહોતો. તેમણે જણાવ્યુ કે, મીડિયા દ્વારા ખોટા અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યા છે.

(1:13 pm IST)