Gujarati News

Gujarati News

News of Saturday, 23rd March 2019

અખિલેશે કહ્યું ભાજપ રામમનોહર લોહિયાના પાઠ ના ભણાવે :બેકારી ગરીબો અને ખેડૂતોના મુદ્દે જવાબ આપે

સમાજવાદી પાર્ટી લોહિયાની વિચારધારને આગળ વધારી રહી છે

નવી દિલ્હી :પીએમ મોદીના બ્લોગ બાદ અખિલેશ યાદવે પ્રતિક્રિયા આપતા જણાવ્યુ હતુ કે, ભાજપ સમાજવાદી પાર્ટીને રામ મનોહર લોહિયાના પાઠ ન ભણાવે.સમાજવાદી પાર્ટી લોહિયાની વિચારધારને આગળ વધારી રહી છે. મુલાયમસિંહ યાદવ સહિત સપાના સંસ્થાપકોએ લોહિયાની વિચારધારા માટે કામ કર્યુ છે.

  અખિલેશે વધુમાં જણાવ્યુ કે, ભાજપ રામ મનોહર લોહિયાની વાત ન કરે. દેશમાં બેકારી, ગરીબી અને ખેડૂતોના મુદે જવાબ આપે. મહત્વપૂર્ણ છે કે પીએમ મોદીએ રામ મનોહર લોહિયા અંગે બ્લોગ લખી સમાજવાદી પાર્ટી પર નિશાન સાધ્યુ હતું. જેમા પીએમ મોદીએ જણાવ્યુ હતુ કે, લોહિયાની વિચારધારાને અપમાનિત કરી પહેલી કેટલાક લોકો દેશની જનતા સાથે કપટ કરી રહ્યા છે.

(12:59 pm IST)