Gujarati News

Gujarati News

News of Saturday, 23rd March 2019

મેજીસ્ટ્રેટ દ્વારા તપાસના આદેશ : પોલીસ કસ્ટડીમાં પ્રિન્સીપાલના મોતથી કાશ્મીર સજ્જડ બંધ

શ્રીનગર : અવંતીપુરાની એક ખાનગી શાળાના યુવાન પ્રિન્સીપાલનું પોલીસ કસ્ટડીમાં મોત થતા બુધવારે કાશ્મીરમાં સજ્જડ બંધ પાળવામાં આવ્યો હતો.

મંગળવારે શ્રીનગરના કાર્ગો કેમ્પ પોલીસ સ્ટેશને અસદુલ્લા પંડિતના ૩૦ વર્ષના પુત્ર રીઝવાન અસદ પંડિતનું પોલીસ કસ્ટડીમાં મોત થયું હતું. તેને સપ્તાહની શરૂઆતમાં પુછપરછ માટે પકડવામાં આવ્યો હતો.

રીઝવાન મૃત્યુથી કાશ્મીરની રોષની લાગણીમાં બળતામાં ઘી હોમાયા જેવી સ્થિતી ઉભી થઇ છે. તેના કારણે આ બનાવની મેજીસ્ટ્રેટ દ્વારા તપાસ કરવા માટેના આદેશો આપી દેવાયા છે.

(11:31 am IST)