Gujarati News

Gujarati News

News of Saturday, 23rd March 2019

31મી સુધીમાં પાનકાર્ડ આધારકાર્ડ લિંક ન કરાવાય તો પાનકાર્ડ રદ્દ ગણાશેઃ ઇન્‍કમટેક્ષ વિભાગની તાકીદ

પાન-આધારને લિંક કરવાની તારીખ નજીક આવી રહી છે. એવામાં જો તમે પણ હજુ સુધી તેને લિંક કર્યું નથી તો કરાવી લો. ઇનકમ ટેક્સ વિભાગે પણ પોતાના ટ્વિટર પર એક પોસ્ટ દ્વારા ટેક્સપેયરોને આધાર-પાન લિંક કરાવવા માટે કહ્યું છે. ઇનકમ ટેક્સ વિભાગનું કહેવું છે કે 31 માર્ચ સુધી પાન-આધાર લિંક કરાવવું અનિવાર્ય છે. એટલા માટે 31 માર્ચ સુધી રાહ જોશો નહી. જો તમે 31 માર્ચ સુધી લિંક ન કરાવ્યું તો પાન કાર્ડને રદ ગણવામાં આવશે. આધાર-પાન લિંક કરાવવા માટે ઇનકમ ટેક્સ વિભાગે કેટલીક ટિપ્સ શેર કરી છે.

એક SMS વડે કરો લિંક

ઇનકમ ટેક્સ વિભાગે ટેક્સપેયરોને ઓપ્શન આપ્યો છે કે તે SMS દ્વારા આધાર-પાનને લિંક કરાવી શકો છો. આ રીત સૌથી સરળ છે. તેના માટે તમારે તમારા ફોનમાંથી UIDPAN ટાઇપ કરવાનું છે. ત્યારબાદ સ્પેસ આપીને તમારો આધાર નંબર અને તમારો પાન નંબર નોંધવાનો છે. ઉદાહરણ તરીકે UIDPAN<space><12-digit Aadhaar><space><10-digit PAN> લખીને 567678 અથવા 56161 પર એસએમએસ મોકલવાનો છે. ત્યારબાદ ઇનકમ ટેક્સ વિભાગ તમારા બંને નંબરને લિંક પ્રોસેસમાં નાખી દેશે.

ઓનલાઇન કરી શકો છો લિંક

- સૌથી પહેલાં જો તમારું એકાઉન્ટ બનાવેલું નથી તો પહેલાં તમે રજીસ્ટ્રેશન કરાવો.

- ઇનકમ ટેક્સ વિભાગની ઇ-ફાઇલિંગ વેબસાઇટ (www.incometaxindiaefiling.gov.in) પર જાવ.

- વેબસાઇટ પર એક ઓપ્શન જોવા મળશે 'લિંક આધાર', અહીંયા ક્લિક કરો.

- લોગઇન કર્યા બાદ પોતાના એકાઉન્ટની પ્રોફાઇલ સેટિંગમાં જાવ.

- પ્રોફાઇલ સેટિંગમાં તમને આધાર કાર્ડ લિંક કરવાનું ઓપ્શન જોવા મળશે, તેને સિલેક્ટ કરો.

- અહીં આપવામાં આવેલા સેક્શનમાં તમારો આધાર નંબર અને કૈપ્ચા કોડ ભરો.

- જાણકારી ભર્યા બાદ નીચે દેખાઇ રહેલા 'લિંક આધાર' ઓપ્શન પર ક્લિક કરો. ત્યારબાદ તમારું આધાર લિંક થઇ જશે.

ઇનવેલિડ હોઇ શકે છે પાન કાર્ડ

જો પાન કાર્ડ (PAN) ને આધાર (Aadhaar) સાથે લિંક ન કર્યું તો તમને ખૂબ મુશ્કેલી પડી શકે છે. ઇનકમ ટેક્સ એક્ટની કલમ 139AA હેઠળ તમારું પાન ઇનવેલિટ ગણવામાં આવશે. એક્સપર્ટ્સના અનુસાર પાન કાર્ડ લિંક ન હોવાની સ્થિતિમાં તમે ઓનલાઇન ITR ફાઇલ કરી શકશો નહી. તમરો ટેક્સ રિફંડ ફસાઇ શકે છે. સાથે જ PAN કાર્ડ ઇનવેલિડ થઇ જશે. 

(12:00 am IST)