Gujarati News

Gujarati News

News of Friday, 23rd March 2018

ટ્વીટ નકલી એકાઉન્ટથી કરાયું :નામ અને તસ્વીરનો ખોટો ઉપયોગ થયો:હાર્દિક પડ્યાનો ખુલાસો

બંધારણના ઘડવૈયા બાબા આબેડકર વિશેની ટિપ્પણી મામલે હાર્દિકે કરી સ્પષ્ટતા

મુંબઈ ;ટીમ ઈન્ડિયાના ક્રિકેટર હાર્દિક પંડ્યાએ બાબા આબેડકર વિશેની ટિપ્પણી કરી હોવાની વાતને ફગાવી દીધી છે તેને કહ્યું કે, તે ટ્વિટ નકલી એકાઉન્ટ પરથી કરવામાં આવ્યું છે અને તેમાં તેનું નામ અને તસવીરનો ખોટી રીતે ઉપયોગ કરવામાં આવ્યો છે.

   અદાલતે કરેલા આદેશ બાદ પોતાના સ્પષ્ટીકરણમાં પંડ્યાએ કહ્યું કે, તેમના મનમાં આંબેડકરના પ્રતિ અત્યંત આદર અને સન્માન છે.

હાર્દિકે ખુલાસો આપતા નિવેદન આપતા કહ્યું, "હું કોઈ જ પ્રકારની એવા નિવેદનોમાં સામેલ થઈશ નહી જે અપમાનજનક હોય અને કોઈ સમુદાયની ભાવનાઓને ઠેસ પહોંચાડનાર હોય."

   સંવિધાન નિર્માતા બી આર આંબેડકર વિશે નકારાત્મક ટિપ્પણીઓને લઈને અદાલતમાં હાર્દિક પંડ્યા વિરૂદ્ધ અરજી દાખલ કરવામાં આવી છે.

   તેમને કહ્યું છે કે, આ ટિપ્પણી નકલી એકાઉન્ટથી કરવામાં આવી છે જેમાં હાર્દિકના નામનું અને તસવીરનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

 અસલમાં આ આખો મામલો પાછલા વર્ષે ડિસેમ્બરમાં પંડ્યાના પેરોડી એકાઉન્ટથી કરવામાં આવેલ એટ ટ્વિટ સાથે જોડાયેલ છે. આ ટ્વિટમાં ભારતના સંવિધાન ડ્રાફ્ટ સમિતિના ચેરમેનના અધ્યક્ષ રહેલ અને દલિત ચેતના અગ્રણી નેતા ભીમરાવ આંબેડકર વિશે આપત્તિજનક વાત કહેવમાં આવી હતી. આ એકાઉન્ટ હવે ડિલિટ કરી દેવામાં આવ્યું છે.

  આ ટ્વિટને આપત્તિજનક માનતા જોધપુરના એક વકિલે જોધપુર લૂણી પોલીસ સ્ટેશનમાં પંડ્યા વિરૂદ્ધ એફઆઈઆર નોંધાવવાની કોશિશ કરી હતી. પોલીસે ઈન્કાર કર્યા બાદ અદાલતમાં પરિવાદ કજૂ કર્યો જેવે મંજબક કરતા કોર્ટે એસસી-એસટી એક્ટની કલમ હેઠળ કેસ નોંધીને તપાસ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.

(12:34 am IST)