Gujarati News

Gujarati News

News of Sunday, 23rd February 2020

સોનિયા ગાંધીને આમંત્રણ ન આપતા લોકસભામાં કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરીએ ડોનાલ્ડ ટ્રમ્પના સન્માનમાં રાષ્ટ્રપતિ ભવનમાં આયોજીત ડિનરનો બહિષ્કાર કર્યો

નવી દિલ્‍હી : લોકસભામાં કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરીએ ડોનાલ્ડ ટ્રમ્પના સન્માનમાં રાષ્ટ્રપતિ ભવનમાં આયોજીત ડિનરનો બહિષ્કાર કર્યો છે. સરકાર દ્વારા કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ સોનિયા ગાંધીને આમંત્રણ આપવામાં ન આવ્યું હોવાથી અધીર રંજન ચૌધરીએ ડિનરનો બોયકોટ કર્યો છે.

સાથે જ તેમણે કેન્દ્રની મોદી સરકાર પર નિશાન સાધતા કહ્યું કે ટ્રમ્પ ભારત આવી રહ્યા છે. આથી ભારત તેમના માટે ભવ્ય ડિનરનું આયોજન કરશે. પરંતુ આ સમારોહમાં વિપક્ષને જ આમંત્રણ આપવામાં નથી આવ્યું. ટ્રમ્પ સાથે ડિનર માટે સોનિયા ગાંધીને કેમ આમંત્રણ નથી અપાયું તેવો સવાલ અધીર રંજન ચૌધરીએ ઉઠાવ્યો.

તેમણે હાઉડી મોદી કાર્યક્રમનો ઉલ્લેખ કરતા કહ્યું કે હાઉડી મોદીમાં રિપબ્લિકન અને ડેમોક્રેટ્સ એમ બંનેએ સ્ટેજ શેર કર્યું હતું. પરંતુ અહીં ફક્ત મોદી અને ટ્રમ્પ જ સાથે હશે. આ ક્યા પ્રકારનું લોકતંત્ર છે.

(2:45 pm IST)