Gujarati News

Gujarati News

News of Thursday, 23rd January 2020

ઓરંગાબાદમાં મોહમ્મદ અઝહરુદ્દીન સામે છેતરપીંડીની કેસ

ટ્રાવેલ એજન્ટ મોહમ્મદ શાદાબે અઝહરુદ્દીન સહિત ત્રણ લોકો પર ૨૦ લાખની છેતરપીંડીનો કેસ કર્યો : અઝરૂદ્દીને આરોપ નકાર્યા : પબ્લિસિટી સ્ટંટ ગણાવ્યો

મહારાષ્ટ્રના ઓરંગાબાદમાં પૂર્વ ભારતીય કેપ્ટન મોહમ્મદ અઝહરુદ્દીન સામે છેતરપિંડીનો કેસ દાખલ કરવામાં આવ્યો છે. ટ્રાવેલ એજન્ટ મોહમ્મદ શાદાબે અઝહરુદ્દીન સહિત ત્રણ લોકો પર ૨૦ લાખ રૂપિયાની છેતરપિંડી કરવાનો આરોપ લગાવ્યો છે.

પોલીસે આ બાબતની તપાસ શરુ કરી દીધી છે. બીજી તરફ ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન અને ભૂતપૂર્વ સાંસદ મોહમ્મદ અઝહરુદ્દીને પોતાના ઉપર લાગેલ બધા આરોપને નકારી કાઢી દીધા અને આ પબ્લિસિટી પ્રાપ્ત કરવાનો એક સસ્તો સ્ટંટ ગણાવ્યો છે.

હૈદરાબાદ ક્રિકેટ એસોસિએશનના કાર્યકારી અધ્યક્ષ મોહમ્મદ અઝહરુદ્દીને ટ્વીટર પર વિડીયો પોસ્ટ કરી કહ્યું છે કે, "મારી સામે જુઠ્ઠો કેસ દાખલ કરવામાં આવ્યો છે. હું પોતાની લીગલ ટીમથી સલાહ લીધા બાદ કાર્યવાહી કરીશ.

(12:54 pm IST)