Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd January 2018

ભાજપની ઈચ્છા મુસ્લિમ મુક્ત ભારત અને આરએસએસની દલિત મુક્ત ભારતની ચાહત ;ઓવૈસી

દલિતો અને મુસ્લિમોએ જાગૃત થવાની જરૂર :ઓવૈસીએ મીમ અને ભીમના સૂત્રનો પુનરોચ્ચાર કર્યો

નવી દિલ્હી :ઓલ ઈન્ડિયા મજલિસ એ ઈત્તેહાદુલ મુસલમીનના પ્રમુખ અને હૈદરાબાદથી લોકસભાના સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ ભાજપ અને આરએસએસ ઉપર ગંભીર આક્ષેપ  કરતા જણાવ્યું હતું કે ભાજપ મુસ્લિમ મુક્ત ભારત ઈચ્છી રહ્યું છે અને આરએસએસ દલિત મુક્ત ભારતની ચાહત ધરાવે છે.

   દલિતો અને મુસ્લિમોને અપીલ કરતા અસદુદ્દીન ઓવૈસીએ કહ્યુ છે કે બંને સમુદાયોએ જાગૃત થવાની જરૂર છે. ઓવૈસીએ પોતાના મીમ અને ભીમના જૂના સૂત્રનો પણ પુનરોચ્ચાર કર્યો હતો. ઓવૈસી મીમનો ઉપયોગ મુસ્લિમો માટે કરે છે. જ્યારે ભીમ શબ્દનો ઉપયોગ અનુસૂચિત જાતિ માટે વાપરવામાં આવે છે.

(9:40 pm IST)