Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd November 2022

નેતાજી સુભાષ ચંદ્ર બોઝના પૌત્ર-ભત્રીજા ચંદ્ર કુમાર બોઝે કલકત્તા હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા :જાપાનમાંથી નેતાજીના નશ્વર અવશેષો પરત લાવવા માંગ કરી :ભારતની સ્વતંત્રતા ચળવળ વિશેના સાહિત્ય અને ફિલ્મોમાં વિકૃત અને ખોટી માહિતી પ્રસિદ્ધ થતી રોકવા અરજ ગુજારી 

કોલકત્તા : સ્વાતંત્ર્ય સેનાની સુભાષચંદ્ર બોઝના પૌત્ર-ભત્રીજા ચંદ્ર કુમાર બોઝે કલકત્તા હાઈકોર્ટનો સંપર્ક કરીને નેતાજી અને ભારતીય સ્વતંત્રતા ચળવળ પરના સાહિત્ય અને ફિલ્મોમાં વિકૃતિ અને ખોટી માહિતી રોકવા માટે કેન્દ્ર સરકાર દ્વારા પગલાં લેવાની માંગ કરી છે.

અરજદારે કહ્યું હતું કે સ્વતંત્રતા ચળવળ વિશે ફિલ્મો, પુસ્તકો અને અન્ય પ્રકાશનોમાં દર્શાવવામાં આવેલી ઘટનાઓની ઐતિહાસિક અધિકૃતતા અને સત્યતાની કાળજીપૂર્વક ચકાસણી કરવાની જરૂર છે.તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે. 

(6:13 pm IST)