Gujarati News

Gujarati News

News of Monday, 22nd November 2021

રાહતને અટકાવી દેવામાં આવી હતી

માર્ચ -૨૦૨૦થી ૪ કરોડ વૃધ્ધો પાસેથી આખુ ભાડૂ વસૂલ્યુ રેલ્વેએ

નવી દિલ્હી,તા.૨૨: માર્ચ ૨૦૨૦માં કોરોના વાયરસના પ્રકોપને લીધે રેલવે દ્વારા આપવામાં આવતી રાહતને અટકાવી દેવામાં આવી હતી, જે પછી આશરે દેશના ચાર કરોડ સિનિયર સિટિઝન્સ તેમની રેલવે મુસાફરી દરમિયાન આખુ ભાડૂ ચૂકવવા માટે મજબૂર થયા છે. આ માહિતી એક આરટીઆઇ દ્વારા સામે આવી છે.

મધ્ય પ્રદેશના એક રહેવાસી દ્વારા પૂછવામાં આવેલા આવેલા સવાલના જવાબમાં રેલવેએ આ માહિતી આપી હતી. કોરોના મહામારીને લીધે માર્ચ ૨૦૨૦મા લાગૂ કરાયેલા લોકડાઉનને લીધે મહિનાઓ સુધી ટ્રેનો બંધ રહી હતી. જે પછી રેલવે દ્વારા આપવામાં આવતી કેટલીક રાહતોને રદ કરવામા આવી હતી, જેમાં વૃદ્ઘોને મળતી ભાડામાં રાહત પણ સામેલ છે. નિયમાનુસાર ટિકિટ ભાડામાં સિનિયર સિટિઝનમાં મામલે મહિલાઓ ૫૦ ટકા રાહત અને પુરુષો ૪૦ ટકા રાહત મેળવવા પાત્ર હોય છે. આ માટે મહિલાની ઉંમર ૫૮ અને પુરુષની ૬૦ વર્ષ છે.

વિતેલા લાંબા સમયથી રેલેવ દ્વારા અપાતી રાહત દેશમાં ચર્ચાનો વિષય બની રહી છે. જેમાં અનેક સમિતિઓ દ્વારા એ પાછી ખેંચવાની ભલામણ કરવામાં આવી છે. એનું પરિણામ એ આવ્યું કે, ૩૦૨૬માં રેલવેએ ટિકિટ બુક કરતી વખતે વૃદ્ઘોને મળતી રાહતને વૈકલ્પિક બનાવી દીધી.

જોકે આ વૃદ્ઘો માટે રેલવે દ્વારા આ રાહત મહત્વની માનવામાં આવે છે, કારણે દરેક વૃદ્ઘ ધનિક કે સરકારી પેન્શન મેળવે એ જરુરી નથી. ભારત દેશના મોટાભાગની વસ્તી મધ્યમ વર્ગની છે આથી વૃદ્ઘોની કુલ વસ્તીનો મોટો હિસ્સો આજ વર્ગમાંથી આવે છે, જે વૃદ્ઘાવસ્થામાં કમાણી કરી શકવાની સ્થિતિમાં હોતા નથી. એવા સમયે રેલવે દ્વારા એમને અપાતી આ પ્રકારની રાહત એમના મોટી રાહત સમાન હોય છે. 

(10:02 am IST)