Gujarati News

Gujarati News

News of Monday, 22nd November 2021

કંગના રનૌત પાસેથી પદ્મ સન્માન પરત લઇ લ્યો: શીખ સંગઠને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને લખ્યો પત્ર

સનસનાટીભર્યા નિવેદનોથી ચર્ચામાં રહેનારી અભિનેત્રી કંગના રનૌતની મુસીબતો ઓછી થવાનું નામ નથી લઈ રહી.  દિલ્હી શીખ ગુરુદ્વારા પ્રબંધન સમિતિ (DSGMC) એ રવિવારે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને પત્ર લખીને ધાર્મિક સમુદાયને નિશાન બનાવવા બદલ અભિનેત્રી કંગના રનૌતને આપવામાં આવેલ પદ્મશ્રી પરત લેવા વિનંતી કરી હતી.  તેણે કહ્યું કે તે "કોમી દ્વેષ ફેલાવી રહી છે, ધાર્મિક સમુદાયને નિશાન બનાવી રહી છે અને ખેડૂતો અને સ્વતંત્રતા સેનાનીઓનું અપમાન કરી રહી છે".

(9:24 am IST)