Gujarati News

Gujarati News

News of Thursday, 22nd November 2018

માયાવતીએ કોંગ્રેસ સાથે કેમ ગઠબંધન ન કર્યુ ? બસપા સુપ્રિમોએ કર્યો ખુલાસો

ભોપાલ-બસપા સુપ્રિમોએ માયાવતીએ કહ્યુ કે કોંગ્રેસ ષડયંત્ર દ્વારા એમની પાર્ટી બહુજન સમાજ પાર્ટીને કમજોર કરવા માગે છે. અને પ્રદેશની વિધાનસભા ચૂંટણીમાં એાછી સીટો આપી રહી હતી. આ કારણે અમે કોંગ્રેસ સાથે ગઠબંધન ન કરેલ.

મૂરેૈના ના મેળા મેદાનમાં  સભાને સંબોધિત કરતા બસપા સુપ્રીમો માયાવતીએ નિવેદન આપ્યુ કે  કોંગ્રેસનો ઇરાદો બસપાને સંપૂણ રીતે ખતમ કરવાનો છે.

માયાવતીએ કહ્યુ કે આઝાદી પછી કોંગ્રેસ અને ભાજપા દેશ અને પ્રદેશોમા શાસન કરતા આવ્યા છે. આ બંને પાર્ટી દલિત વિરોધી છે. અને દલિતોનું શોષણ કરે છે.

(12:12 am IST)