Gujarati News

Gujarati News

News of Thursday, 22nd November 2018

‘‘કૌન બનેગા કરોડપતિ''માં કેન્‍સર પીડિતોનાં મહાનાયક કચ્‍છના હરખચંદભાઇ સાવલા શુક્રવારે સેવાગાથા રજુ કરશે

મુંબઇ તા.૨૨: કોૈન બનેગા કરોડપતિ સોની ટીવીની લોકપ્રિય ચેનલના જ્ઞાન સાથે ગમ્‍મત આપતા આ શોમાં ભારતના મહાનાયક અમિતાભ બચ્‍ચની સાથે મુંબઇની ટાટા હોસ્‍પિટલના કેન્‍સર પીડિતોના મહાનાયક એવા હરખચંદભાઇ કલ્‍યાણજી સાવલા (બાડા) ‘પાંજો માડૂ' દેખાશે.

બોલીવૂડની રૂપેરી સૃષ્‍ટિમાં ‘જીવનજયોત કેન્‍સર રિલીફ એન્‍ડ કેર ટ્રસ્‍ટ'ની ૩૫ વર્ષની મંજિલ પાર કરીને સફળતાના અનેક શિખરો સર કરનાર ભારતના રાષ્‍ટ્રપતિ અબ્‍દુલ કલામના હસ્‍તે એવોર્ડ મેળવનાર કચ્‍છના આ સપૂતને ટેલિવિઝનના પડદા પર નિહાળવા  તા. ૨૩-૧૧ શુક્રવારે રાત્રિના ૯ વાગ્‍યે કચ્‍છના ઘણા ગામોમાં મોટા પડદાના ટી.વી. સેટ ગોઠવવામાં આવ્‍યા છે.

સમગ્ર ગામવાસીઓને કચ્‍છની કચ્‍છીયત જોવાનો લ્‍હાવો આપવામાં આવનાર છે. મુંબઇના બહારથી ગામડે ગામથી આવેલા દર્દીઓના મુખે આ મહામાનવને કેવી કેવી ઉમદા ઉપમા આપવામાં આવી છે, જે દર્દીઓનાં મુખે થી સાંભળવા મળશે. એમની જનેતાને અમિતાભ બચ્‍ચને અભિનંદન પાઠવ્‍યા હતા.

આવા અનેક સંસ્‍મરણોતેમજ જીવનજયોત સંસ્‍થાની વિવિધ પ્રવૃતિઓ સોની ટી.વી. પર કે.બી.સી.ના કાર્યક્રમમાં જોવા માણવા મળશે.

૩૫ વર્ષ પહેલાં નાનાપાયે ૧૫ દર્દીઓનાં ભોજન ટિફિન સાથે શરૂ થયેલી આ સફળગાથા આજે ૭૦૦ દર્દીઓનાં ભોજન ટિફિનની સંખ્‍યા પાર કરી ગઇ છે. દેશવાસી અનેક દર્દીઓ આ પ્રવૃતિનો લાભ લઇ ચૂકયા છે.

(12:47 pm IST)