Gujarati News

Gujarati News

News of Thursday, 22nd November 2018

જો સત્ય કહેવું બળવો છે. સમજો હું પણ બળવાખોર છું : શત્રુઘ્નસિન્હાએ ફરીવાર તીખા તેવર બતાવ્યા

ચિત્રકૂટ જિલ્લામાં અપના દળના – કૃષ્ણા જૂથ આયોજીત કિસાન મહાસંમેલનમાં સંબોધન કર્યું

ભાજપના સાંસદ અને ફિલ્મ અભિનેતા શત્રુઘ્નસિંહાએ ફરીવાર પોતાના તીખા તેવર દર્શાવ્યા છે. શત્રુઘ્નસિંહાએ બળવાખોર તેવર દર્શાવતા કહ્યુ છે કે જો સત્ય કહેવું બળવો છે. સમજો હું પણ બળવાખોર છું.

   શત્રુઘ્નસિંહાએ ચિત્રકૂટ જિલ્લાના રામાયણ મેળા પરિસરમાં અપના દળના – કૃષ્ણા જૂથ દ્વારા આયોજીત કિસાન મહાસંમેલનમાં સંબોધન કર્યું હતું.તેમણે કહ્યુ છે કે ભાજપે હજી સુધી તેમને છોડ્યા નથી અને તેમણે પણ પાર્ટી છોડી નથી. પરંતુ પાર્ટીની અંદર ચાલી રહેલી બાબતો તેઓ પચાવી શક્યા નથી. ટોચના નેતાઓ સાથે થઈ રહેલો વ્યવહાર અયોગ્ય છે.

   શત્રુઘ્નસિંહાએ કહ્યુ છે કે તઘલખી ફરમાનની જેમ કરવામાં આવેલી નોટબંધીથી સામાન્ય અને વિશેષ એમ તમામ પ્રકારના લોકોની હેરાનગતિ થઈ હતી. વેપારીઓનો કારોબાર ચોપટ થયો અને મોંઘવારી પોતાની ચરમસીમા પર છે.તેમણે કહ્યુ છે કે તેઓ આવી બાબતોને જાહેરહિતમાં ઉઠાવે છે.તો તેમને બળવાખોર માનવામાં આવે છે. જો સાચું કહેવું બળવો હોય. તો તેઓ પણ બળવાખોર છે.

(12:42 pm IST)