Gujarati News

Gujarati News

News of Friday, 22nd October 2021

લખીમપુર ખેરી હિંસામાં માર્યા ગયેલા 4 ખેડૂતો તથા એક પત્રકારના પરિવારને 50 લાખ રૂપિયાનું વળતર આપવાની ઘોષણાં : પંજાબના એગ્રિકલચર મિનિસ્ટર રણદીપ સિંઘ નાભાના હસ્તે ચેક અર્પણ કરાશે

પંજાબ : પંજાબ સરકારે લખીમપુર ખેરી હિંસામાં માર્યા ગયેલા 4 ખેડૂતો તથા એક પત્રકારના પરિવારને 50 લાખ રૂપિયાનું વળતર આપવાની ઘોષણાં કરી છે. પંજાબના એગ્રિકલચર મિનિસ્ટર રણદીપ સિંઘ નાભાના હસ્તે પાંચે પરિવારને ચેક અર્પણ કરાશે .

ઉલ્લેખનીય છે કે લખીમપુર ખેરીમાં થયેલી હિંસામાં 4 ખેડૂતો તથા એક પત્રકારનું મૃત્યુ થયું હતું.

(12:44 pm IST)