Gujarati News

Gujarati News

News of Thursday, 22nd October 2020

કોરોનાકાળમાં આત્‍મનિર્ભર તરફ વધુ એક ડગલુઃ દેશમાં પહેલીવાર હાઇડ્રોજન-સીએનજી વડે બસો દોડશેઃ પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્‍દ્ર પ્રધાનનું નિવેદન

નવી દિલ્હી: Corona કાળમાં દેશમાં આત્મનિર્ભર તરફ ઝડપથી વધી રહ્યો છે. તેના હેઠળ દેશમાં પહેલીવાર હાઇડ્રોઝન-સીએનજી (H CNG) વડે બસો દોડશે. રાજધાની દિલ્હીમાં તેનું ટેસ્ટિંગ ચાલી રહ્યું છે. તેનાથી ના ફક્ત બસોનું ભાડું ઘટશે પરંતુ પોલ્યુશન પણ ઓછું થશે.

આ બસો વડે BS-VI એન્જીન, જેટલું જ એમિશન હશે. પેટ્રોલિયમ મંત્રી ધમેન્દ્ર પ્રધાને 50 એવી બસોનું ટેસ્ટિંગ કરાવવામાં આવ્યું છે. પ્રધાનનું કહેવું છે કે ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન (IoC)ના રિસર્ચ સેન્ટરએ H-CNG પ્રક્રિયા કરવાની એક સુગઠિત ટેક્નોલોજી વિકસિત કરી છે.

કંપની પાસે નેચરલ ગેસ વડે સીધા એચ-સીએનજી નિકાળવાની આ પ્રક્રિયાને પેન્ટટ છે. પ્રધાનના અનુસાર ઓછી ઉત્સર્જન કરવાની સાથે જ H-CNG સારી માઇલેજ પણ આપે છે.

ઇન્ડિયન ઓઇલના નિવેદન અનુસાર H-CNG માં CNG માં 18 ટકા હાઇડ્રોઝનને મિક્સ કરવામાં આવે છે. આ પ્રકારે 70 ટકા ઓછા કાર્બન મોનો ઓક્સાઇડ ઉત્સર્જન કરે છે. તો બીજીએ તરફ BS-4 માપદંડો ભારે વાહન  CNG એન્જીનો મુકાબલે 25 ટકા ઓછું ઉત્સર્જન કરે છે. 

જાણકારોના અનુસાર આ ગેસ માઇલેજને 4 થી 5 ટકા વધારે છે. H-CNG થી રાજધાનીમાં 50 BS-iV સીએનજી બસોને દોડાવવામાં આવશે. સ્વચ્છ અને વિશ્વાસપાત્ર ઇંધણની આપૂર્તિ કરવી સરકારની પ્રાથમિકતા છે. પ્રધાને કહ્યું કે દેશને ગેસ-આધારિત અર્થવ્યવસ્થામાં બદલવા માટે 4 લાખ કરોડ રૂપિયા સુધી રોકાણ કરવામાં આવે છે.

(5:23 pm IST)