Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd October 2019

મંદિરો ઉપર કાનૂન કેમ બનાવાયુ નથી :સુપ્રીમ કોટ

યુપી સરકારને સુપ્રીમ કોર્ટનો પ્રશ્ન

નવી દિલ્હી, તા.૨૨  : સુપ્રીમ કોર્ટે બુલંદશહેર સ્થિત સર્વમંગલા બેલા ભવાની મંદિર મામલામાં યુપી સરકારને આજે જોરદાર ફટકાર લગાવી હતી. મંગળવારના દિવસે સુપ્રીમ કોર્ટે ઉત્તરપ્રદેશ સરકારને શ્રેણીબદ્ધ પ્રશ્નો કર્યા હતા. સુપ્રીમ કોર્ટે રાજ્યમાં મંદિરો અને ધાર્મિક સંસ્થાઓને નિયંત્રિત કરવા માટે કોઇ કાનૂન કેમ નથી તેને લઇને પ્રશ્નો કર્યા હતા. કોર્ટે નિર્દેશ આપ્યો હતો કે, યુપી સરકારે આ સંદર્ભમાં કાયદા બનાવવા પર વિચારણા કરવી જોઇએ. ખોટા મેનેજમેન્ટના કારણે મંદિર અને ધાર્મિક સંસ્થાઓને અપમાન સહન કરવું પડે છે. મંદિર અને ધાર્મિક સંસ્થાઓના મેનેજમેન્ટને પોતાના અધિકાર ક્ષેત્રમાં લઇ શકાય તેને લઇને રજૂઆત થઇ હતી.

(10:03 pm IST)