Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd October 2019

કાશ્મીર મુદ્દે ભારતીય દૂતાવાસ સામે દેખાવો નહીં કરવા પાકિસ્તાની નાગરિકોને અપીલ : દિવાળીના દિવસે રવિવારે યોજાનારા દેખાવોથી લંડનમાં ભાગલાવાદી નીતિ સર્જાવાનો ભય વ્યક્ત કરતા પાકિસ્તાની મૂળના મેયર સાદીકખાન

લંડન : ભારતના સ્વાતંત્ર્ય દિવસે લંડન ખાતેના ભારતીય દૂતાવાસ સામે દેખાવો કરી વાતાવરણ તંગ કરનારા પાકિસ્તાની મૂળના અમુક નાગરિકો હવે દિવાળીના દિવસે રવિવારે કાશ્મીર મુદ્દે દૂતાવાસ સામે દેખાવો કરવાની તૈયારીમાં છે.આ બાબતે ભારતીય મૂળના નાગરિકોએ મેયર સાદીકખાનને હસ્તક્ષેપ કરવા વિનંતી કરી હતી.તેથી તેમણે પાકિસ્તાની મૂળના નાગરિકોને આવા કોઈ પણ દેખાવો નહીં કરવા અપીલ કરી છે.તથા જણાવ્યું છે કે આનાથી શહેરમાં ભાગલાવાદી નીતિનું નિર્માણ થશે

(12:02 pm IST)