Gujarati News

Gujarati News

News of Monday, 22nd October 2018

બિહારમાં રાક્ષસ રાજ : તેજસ્વી યાદવ કહે છે!!

બિહારની જનતા નીતિશ સરકારથી ત્રાસી ગઇ છે : જેડીયુ-ભાજપાને બિહારની કોઇ ચિંતા નથી

નવી દિલ્હી, તા. રર : બિહાર વિધાનસભાના નેતા આરજેડીના તેજસ્વી યાદવે બિહારના મુખ્યપ્રધાન નીતિશકુમાર અનેન ાયબ મુખ્યપ્રધાન સુશીલકુમાર મોદી પર નિશાન તાકતા રવિવારે રાજયની સત્તારૂઢ સરકારને રાક્ષસરાજ સાથે સરખાવીને કહ્યું કે, પ્રજા આ સરકારથી ત્રાસી ગઇ છે.

બિહારના પહેલા મુખ્યપ્રધાન શ્રીકૃષ્ણસિંહની જયંતિ ઉપક્રમે મહાગઠબંધનમાં શામેલ કોંગ્રેસ દ્વારા આયોજીત એક કાર્યક્રમમાં આરજેડી નેતા તેજસ્વીએ મુખ્યપ્રધાન નીતિશકુમારનું નામ લીધા વિના તેમની તરફ ઇશારો કરતા કહ્યું હતું કે કેટલાક લોકો કહેતા હતાં કે 'માટીમાં મળી જશું પણ ભાજપાનો ટેકો નહી લઇએ.'

તેજસ્વીએ નીતિશ પર ખુરશીના લોભમાં ફસાયા હોવાનો આક્ષેપ કરીને કહ્યું કે જે રીતે તેમણે જનાદેશનું અપમાન કરીને ભાજપાનો સાથ લીધો છે, તેનાથી બિહારની જનતા નારાજ છે અને બહુ ગુસ્સામાં છે. બિહારમાં અપરાધમાં સતત વધારો થઇ રહ્યાનો આક્ષેપ કરીને તેમણે કહ્યું કે આજે રાજયમાં રાક્ષસ રાજ છે.

(3:58 pm IST)