Gujarati News

Gujarati News

News of Sunday, 22nd September 2019

ભારતીય પાસપોર્ટધારક બિનરહીશને હવે મળી શકશે તત્કાળ આધાર કાર્ડ

નવી દિલ્હી : ભારતીય પાસપોર્ટધારક  બિનરહીશ ભારતીયોને પોતાનું આધાર કાર્ડ બનાવડાવવા હવે ૧૮૦ દિવસ સુધી રાહ જોવી નહી પડે. હવેથી તેઓ તરત પોતાનું આધારકાર્ડ મેળવી લઇ શકશે. શુક્રવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકાની મુલાકાતે જવા રવાના થયા પહેલા કેન્દ્ર સરકારે આ બાબતની ઘોષણા કરી હતી.

કેન્દ્ર સરકારે બિનરહીશ ભારતીયોને  તત્કાળ આધાર કાર્ડ ઉપલબ્ધ કરી આપવા અંગે અધિસૂચના પણ જારી કરી છે. કેન્દ્ર સરકારના આઇટી મંત્રાલયે જાહેર કરેલી આ અધિસૂચનામાં જણાવ્યુ કે બિનરહીશ ભારતીય, ભારત આવ્યે ત્યારે આધારકાર્ડ પ્રાપ્ત કરી શકશે.  આ નિયમ અધિસૂચના જારી થવાની તારીખે એટલે કે ર૦ સપ્ટેમ્બરને તત્કાળ અસરથી લાગૂ થશે તેમ ઉકત અધિસૂચનામા જણાવ્યું છે.

(12:53 pm IST)