Gujarati News

Gujarati News

News of Sunday, 22nd September 2019

ભીડ હિંસાના આરોપીને સરકારી નોકરી નહી મળેઃ બિહાર સરકારની જાહેરાત

         બિહાર સરકારએ નિર્ણય લીધો છે કે ભીડ હીંસાના આરોપીઓને બધી સરકારી નોકરીઓ માટે અયોગ્ય ઠેરવવામા આવશે.

         આ ઉપરાંત જો કોઇ સરકારી કર્મચારી ભીડ હિંસામાં સામેલ થયેલ જોવામા આવશે તો તેની નોકરી પણ જઇ શકે છે. રીપોર્ટ મુજબ છેલ્લા અઢી મહિનામા  બિહારમા ૩૯ ભીડ હિંસાઓના મામલા દાખલ થયા છે.

         પોલીસએ ૩૪પ લોકોને ભીડ હિંસાના મામલામા  આરોપી બનાવ્યા છે.

(12:00 am IST)