Gujarati News

Gujarati News

News of Saturday, 22nd September 2018

પાક,સેના અને આતંકીઓથી બર્બરતાપૂર્વકની ઘટનાનો બદલો લેવા કડક કાર્યવાહી કરવી જોઈએ : સેનાધ્યક્ષ આકરા પાણીએ

હવે સમય આવી ગયો છે કે પાકિસ્તાનને તેની જ ભાષામાં જવાબ આપવામાં આવે

નવી દિલ્હી :કાશ્મીરમાં સૈન્યના જવાનો અને પોલીસકર્મીઓની બર્બરતાપૂર્વક હત્યા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે ફરી તંગદિલી પ્રવર્તી રહી છે. ત્યારે આર્મી ચીફ રાવતે જણાવ્યું કે આપણે પાકિસ્તાનની સેના અને આતંકવાદીઓ દ્વારા કરાઇ રહેલી બર્બરતાપૂર્વક ઘટનાઓનો બદલો લેવા માટે કડક કાર્યવાહી કરવાની જરૂર છે

   સેનાધ્યક્ષે વધુમાં જણાવ્યું કે હવે સમય આવી ગયો છે કે પાકિસ્તાનને તેની જ ભાષામાં જવાબ આપવામાં આવે. સરહદની બીજી તરફ પણ આ દર્દ મહેસૂસ થવું જોઇએ. બિપીન રાવતે કહ્યું કે આતંક અને વાતચીત એકસાથે શક્ય ન બને તેવી સરકારની નીતિ બિલકુલ સ્પષ્ટ છે.

(11:33 pm IST)