Gujarati News

Gujarati News

News of Saturday, 22nd September 2018

ભાજપના બળવાખોર શત્રુઘ્નસિંહા અને યશવંતસિંહા આમ આદમી પાર્ટીમાંથી ચૂંટણી લડે તેવી શકયતા

ભાજપના સાંસદ શત્રુધ્ન સિંહા અને બળવાખોર નેતા યશવંત સિંહા આમ આદમી પાર્ટીમાંથી લોકસભાની ચૂંટણી લડી શકે છે. બન્ને નેતાએ આ મામલે આમ આદમી પાર્ટી સાથે ચર્ચા શરૂ કરી છે.

  શત્રુધ્ન સિંહા નવી દિલ્હી અને યશવંત સિંહા પશ્વિમ દિલ્હીથી લોકસભાની ચૂંટણી લડી શકે છે. જોકે આ મામલે આમ આદમી પાર્ટીના કોઈપણ નેતા એક શબ્દ બોલવા તૈયાર નથી.  આ પહેલા શત્રુધ્નસિંહા અને યશવંત સિંહાએ અરવિંદ કેજરીવાલના કાર્યક્રમમાં હાજરી આપી હતી.  

   અત્રે ઉલ્લેખનીય છે કે બન્ને નેતા નોઈડામાં  આયોજિક એક રેલીમાં કેજરીવાલ સાથે એક મંચ પર જોવા મળ્યા હતા. ભાજપ માટે બન્ને નેતા એક સમયે સ્ટાર પ્રચારક રહી ચૂક્યા છે.

 

 

(1:36 pm IST)