Gujarati News

Gujarati News

News of Thursday, 22nd August 2019

પી.ચિદમ્બરમની ધરપકડ બાદ દિલ્હીના જંતરમંતર ખાતે વિપક્ષી નેતાઓનો જમાવડો : કાર્તિએ રાજકીય બદલાની કાર્યવાહી ગણાવી

કેસ ખોટો છે તેઓ ક્યારેય ઈન્દ્રાણી મુખર્જીને મળ્યાં જ નથી ; કાર્તિ ચિદમ્બરમ

નવી દિલ્હી : પૂર્વ કેન્દ્રીય મંત્રી પી.ચિદમ્બરમની ધરપકડ બાદ વિપક્ષી નેતાઓ દ્વારા ભારે વિરોધ જોવા મળી રહ્યો છે. ત્યારે દિલ્હીના જંતરમંતર ખાતે વિપક્ષી નેતાઓએ ચિદમ્બરમની ધરપકડનો વિરોધ કરવા એકઠા થયા હતા અને મોદી સરકાર પર આક્ષેપો કર્યા હતા. સાથે જ સીબીઆઈ અને ઈડી જેવી કેન્દ્રીય એજન્સીઓની કાર્યવાહી પર પણ આક્ષેપો કર્યા હતા.

  આ વિરોધ પ્રદર્શનમાં પી. ચિદમ્બરના પુત્ર કાર્તિ ચિદમ્બર પણ પહોંચ્યા હતા. જ્યાં તેઓએ પણ પોતાના પિતાની ધરપકડ માત્ર રાજકીય બદલાની કાર્યવાહી ગણાવી હતી. અને આ કેસ ખોટો હોવાનું તેમજ તેઓ ક્યારેય ઈન્દ્રાણી મુખર્જીને મળ્યાં જ નથી તેવો જવાબ આપ્યો હતો.

(2:22 pm IST)