Gujarati News

Gujarati News

News of Thursday, 22nd August 2019

શ્રીરામ ભગવાન સાથે જોડાયેલા સ્થળોના દર્શન કરાવશે ટ્રેન

૩ નવેમ્બરે દિલ્હીથી રવાના થશે રામાયણ એકસપ્રેસ

નવી દિલ્હી, તા.૨૨:રેલવે એકવાર ફરી રામાયણ સર્કિટ પર ટ્રેન ચલાવાની તૈયારીમાં લાગ્યા છે. ગયા વર્ષે રામાયણ એકસપ્રેસના સફળ સંચાલન બાદ એકવાર ફરી આ ટ્રેન ભગવાન શ્રી રામ સાથે જોડાયેલા તીર્થ સ્થળોનું દર્શન કરાવશે. તેને ત્રણ નવેમ્બરે દિલ્હીથી રવાના કરવામાં આવશે.

 

રેલવે અધિકારીઓના જણાવ્યા મુજબ, છેલ્લા વર્ષની પ્રકારની આ ટ્રેન દિલ્હીથી ચાલીને ભગવાન શ્રી રામ સાથે જોડાયેલા તીર્થ સ્થળોની યાત્રા કરાવીને દિલ્હી પાછા ફરશે. બીજી બાજુ શ્રીલંકા જતા યાત્રીઓને વિમાન દ્વારા લઇ જવામાં આવશે. જેનું ભાડું યાત્રીઓથી અલગ કરવામાં આવશે.

 

ઙ્ગ શ્રીલંકાની મુલાકાતે પેકેજમાં કેન્ડી,નુવારા એલિયા, કોલંબો, નેગોમ્બો, પણ યાત્રી જશે.

આ ટુર પેકેજની બુકીંગ આઇઆરસીટીસીની વેબસાઇટ પર કરવામાં આવશે. યાત્રીઓની ફરિયાદ બાદ રામાયણ એકસપ્રેસના જુના કોચ બદલીને ટ્રેન રવાના થશે.

(10:32 am IST)