Gujarati News

Gujarati News

News of Sunday, 22nd July 2018

અમિત શાહે પાંચ વાર કર્યો ફોન, પરંતુ ઉદ્ધવે વાત ન કરી : શિવસેના

નવી દિલ્હી : દિલ્હીમાં ભાજપ નેતાઓ દ્વારા દાવો કરવામાં આવ્યો હતો કે અમિત શાહે ઉદ્ધવ ઠાકર સાથે અવિશ્વાસ પ્રસ્તાવ વિરૂદ્ધ મત આપવા અંગે વાત કરી છે. હવે આ મુદ્દે શિવસેનાના સુત્રોએ દાવો કર્યો છે ઉદ્ધવ ઠાકરે એ ગત બે દિવસમાં અમિતશાહ સાથે એક શબ્દ પણ વાતચીત કરી નથી. શિવસેનાના નેતાએ જણાવ્યું કે આ વાત સાચી છે કે અમિત શાહે અનેક વાર ફોન કર્યો. કાલેજ અવિશ્વાસ પ્રસ્તાવના દિવસે ઓછામાં ઓછા પ વાર ફોન કર્યા હતા પરંતુ ઉદ્ધવેજીએ એક પણ કોલ ઉપાડ્યો ન હતો. ભાજપના દાવાને શિવસેના નેતૃત્વને પાયાવિહિન ગણાવ્યા હતા.

(12:16 pm IST)