Gujarati News

Gujarati News

News of Saturday, 22nd June 2019

''સાંઇ લીલા'': શ્રધ્ધા અને સબુરીના સૂત્ર સાથે શિરડીના સાંઇબાબાનું જીવન વર્ણવતું નાટકઃ યુ.એસ.ના હયુસ્ટનમાં ૭ જુનના રોજ યોજાયેલા શો માં ૯૦૦ ઉપરાંત દર્શકો આફરિન

''સાંઇ લીલા'' શ્રધ્ધા અને સબુરીના સૂત્ર સાથેની ભારતના શિરડીના સાંઇ બાબાનું જીવન શિરડીના સાંઇ બાબાનું જીવન વર્ણવતું નાટક તાજેતરમાં શ્રી ભદ્રેશ પટેલના દિગ્દર્શન હેઠળ ઓલ્ડ સ્ટેફોર્ડ સિવીક સેન્ટર મુકામે ૭ જુનના રોજ યોજાઇ ગયું. જેમાં ૯૦૦ ઉપરાંત દર્શકોએ હાજર રહી સાંઇબાબાનો જીવન સંદેશ નિહાળ્યો હતો. તથા સંગીત, ડાયલોગ, અને ગીતો તથા કવાલીની મોજ માણી હતી.

આ નાટકના સ્ક્રિપ રાઇટર શ્રી ડો.અરૂણ બેંકર છે. તથા મુખ્ય કલાકાર શ્રી વિભાસ ધુરંધર છે. ઉપરાંત સુશ્રી સોનલ તુલજાપુરકર સુશ્રી કિરણ ગુપ્તા, શ્રી વિનુ ગોયલ, સુશ્રી ક્રિશ્ના મિશ્રા શ્રી અક્ષય શાહ સહિત ૫૦ જેટલા કલાકારોએ કલાના કામણ પાથર્યા હતા. તેવું IAN દ્વારા જાણવા મળે છે.

(8:57 pm IST)