Gujarati News

Gujarati News

News of Saturday, 22nd June 2019

એનઆઈએ દ્વારા આઈએસઆઈએસ આતંકી મોડયુલ અંગે ૧૦ લોકો વિરૂદ્ધ ચાર્જશીટ દાખલ કરી

આઈએસઆઈએસ ટેરર મોડયુલ

નવી દિલ્હી, તા. ૨૦ :. રાષ્ટ્રીય તપાસ એજન્સીએ દિલ્હી અને યુપીના સમારોહમાં આઈએસઆઈએસના આતંકી મોડયુલ બનાવવાના એક મામલામાં દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટમાં ૧૦ લોકો વિરૂદ્ધ ચાર્જશીટ દાખલ કરી છે. ૪ જુલાઈના રોજ આ અંગે વધુ સુનાવણી થશે.

આ કેસમાં અમરોહીના એક મદ્રેસામાં મુફતી મોહમ્મદ સુહૈલ સહિત અન્ય ૧૦ લોકો વિરૂદ્ધના વિવિધ કલમો હેઠળ કેસ નોંધાયો હતો. એજન્સીના કહેવા મુજબ સુહૈલ અને દિલ્હીના ફૈઝએ આઈએસઆઈએસથી પ્રેરિત થઈ તે એક આતંકી મોડયુલ બનાવ્યું અને તેનુ નામ હરકત-ઉલ-હર્બ-એ ઈસ્લામ રાખ્યુ હતું.

(3:58 pm IST)