Gujarati News

Gujarati News

News of Saturday, 22nd June 2019

રાજકીય ઉથલપાથલો જયાં પળેપળે તોળાઈ રહી છે તેવા

પ.બંગાળ - કર્ણાટકના નવા ગવર્નરો કોણ? વજુભાઈ વાળા - ત્રિપાઠીજી નિવૃતિના માર્ગે...

નવી દિલ્હી : કેન્દ્ર સરકાર માટે પશ્ચિમ બંગાળ અને કર્ણાટકમાં રાજયપાલોની નિમણુંક, મોદી સરકાર માટે માથાનો દુઃખાવો બની ગઈ છે. પશ્ચિમ બંગાળમાં આવતા મહિને ૮૪ વર્ષના ગવર્નર કેશરીનાથ ત્રિપાઠી અને ઓગષ્ટમાં કર્ણાટકના ગર્વનર શ્રી વજુભાઈ વાળા (૮૦ વર્ષ) નિવૃત થઈ રહ્યા છે.આ બંને રાજયમાં સ્થિતિ અત્યંત પ્રવાહી છે અને ચૂંટણીઓ ગમે ત્યારે આવી રહી છે.

ત્યારે અહિંના રાજયપાલોએ કટોકટીની સ્થિતિમાં નિર્ણાયક ભૂમિકા ભજવવી પડશે.

આ સ્થિતિમાં અહિં નવા રાજયપાલો નિમાય તો કોને નિમવા અને નહિ તો આ છે તેને ચાલુ રાખવા કે કેમ તે પ્રશ્ન છે. મોદી સરકાર માટે માથાના દુઃખાવા જેવો બનતો જાય છે.

(11:37 am IST)