Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd May 2018

કર્ણાટકમાં કુમારસ્વામીના શપથ ગ્રહણ સમારોહમાં કેસીઆર ઉપસ્થિત નહિ રહે : જેડીએસના નેતાઓ સાથે મુલાકાત કરશે

ચંદ્રશેખર રાવ કોંગ્રેસના નેતાઓ સાથે સ્ટેજ ઉપર બેશવા માંગતા નથી ?:અટકળ શરૂ

તેલંગાણાના મુખ્યમંત્રી ચેન્દ્રશેખર રાવ (કેસીઆર) કર્ણાટકના નવા મુખ્યમંત્રી બનવા જઇ રહેલા એચડી કુમારસ્વામીના શપથ ગ્રહણ સમારોહમાં ઉપસ્થિત રહશે નહિ જોકે ચંદ્રશેખર રાવ શપથ ગ્રહણ કાર્યક્રમમાં ભાગ લેવાના બદલે એક દિવસ પહેલા જેડીએસના નેતાઓ સાથે મુલાકાત કરશે.

   ચંદ્રશેખર રાવ મંગળવારે બેંગલુરુ જશે અને મોડી રાત્રે પાછા હૈદરાબાદ ફરશે. જ્યારે કુમારસ્વામીનો શપથ કાર્યક્રમ બુધવારે છે. મુખ્યમંત્રી કાર્યાલયના જણાવ્યા પ્રમાણે કેટલાક મહત્વના કામમાં વ્યસ્ત હોવાના કારણે ચંદ્રશેખર રાવ કુમારસ્વામીના શપથ કાર્યક્રમમાં ભાગ નહીં લઇ શકે. એવી એટકળો ચાલી રહી છે કે, ચંદ્રશેખર રાવ કોંગ્રેસના નેતાઓ સાથે સ્ટેજ ઉપર બેશવા માંગતા નથી

(7:47 pm IST)