Gujarati News

Gujarati News

News of Monday, 22nd April 2019

રાહુલ ગાંધીને મોટી રાહત :અમેઠીમાં નામાંકન થયું માન્ય

અમેઠીના રિટર્નિંગ ઓફિસરે તપાસ બાદ ચૂંટણી નામાંકન પત્ર મંજુર

નવી દિલ્હી :કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને મોટી રાહત મળી છે. યૂપીના અમેઠીના રિટર્નિંગ ઓફિસરે તપાસ બાદ કોંગ્રેસ અધ્યક્ષ દ્વારા અમેઠીમાં ભરવામાં આવેલ ચૂંટણી નામાંકન પત્રને માન્ય ગણાવ્યું છે. 

   રાહુલ ગાંધી કેરળના વાયનાડ ઉપરાંત યૂપીના અમેઠીથી પણ ચૂંટણી લડી રહ્યાં છે. તેમણે અમેઠીમાં તેમણે જે નામાંકન પત્ર દાખલ કર્યું હતું. તેના પર ત્યાંના સ્વતંત્ર ઉમેદવાર ધ્રુવપાલ કૌશલે વાંધો ઉઠાવ્યો હતો. તેના અનુસાર રાહુલ ગાંધીએ તેમના નામાંકન પત્રમાં ખોટી જાણાકારી આપી હતી. ધ્રુવપાલે રિટર્નિંગથી તેની તપાસ કરવાની માગ કરી હતી. તેના પર રિટર્નિંગ ઓફિસે રાહુલ ગાંધીના નામાંકન પત્રની તપાસ 22 એપ્રિલ સુધી સ્થગિત કરી હતી.

   ધ્રુવપાલે રાહુલ ગાંધીની નાગરિકતા પર સવાલ ઉઠાવતા તેમનું નામાંકન પત્રની તાપસ કરવાની માગ કરી હતી. તેમના વકીલ રવિ પ્રકાશનું કહવું હતું કે, બ્રિટનની એક રજિસ્ટ્રર્ડ કંપનીએ દસ્તાવેજોમાં તેમને તેમની બ્રિટિશ નાગરિકતાનો ઉલ્લેખ કર્યો છે અને બિન ભારતીય દેશમાં ચૂંટણી લડી શકતા નથી. રવિ પ્રકાશનું કહેવું હતું કે, રાહુલના શૈક્ષણિક સર્ટિફિકેટમાં પણ ઘણી ભૂલો છે.

(1:26 pm IST)