Gujarati News

Gujarati News

News of Friday, 22nd March 2019

દિલ્હીમાં જૈશનો આતંકીવાદી ઝડપાયો:સાજિદ ખાન પુલવામા હુમલાના માસ્ટર માઈન્ડના સંપર્કમાં હતો

નવી દિલ્હી :દિલ્હી પોલીસેના સ્પેશિયલ સેલે જૈશના આતંકવાદી સાજિદ ખાનની ધરપકડ કરી છે  સૂત્રોના જણાવ્યા પ્રમાણે સાજિદ ખાન પુલવામા હુમલાના માસ્ટર માઈન્ડના સંપર્કમા હતો. આતંકી સાજિદ પુલવામા હુમલા પહેલા દિલ્હી આવ્યો હતો. ત્યારે પોલીસે પકડમાં આવેલા સાજિદની પૂછપરછ શરૂ કરી  છે. 

    અત્રે ઉલ્લેખનીય છે કે પુલવામા આતંકવાદી હુમલામાં સીઆરપીએફના 40 જેટલા જવાન શહીદ થયા હતા. અને આ હુમલાની જવાબદારી જૈશે લીધી હતી. જે બાદ ભારતે બાલાકોટમાં એર સ્ટ્રાઈક કરી આતંકવાદીઓના ઠેકાણાને નેસ્ત નાબુદ કર્યા હતા.

(12:15 pm IST)