Gujarati News

Gujarati News

News of Friday, 22nd March 2019

તમિલનાડુના કદાવર નેતા અને અન્નાદ્રમુકના ધારાસભ્યનું નિધન

અખબાર વાંચતા હતા ત્યારે અચાનક હૃદયરોગનો હુમલો આવ્યો

ચેન્નાઇ :તમિલનાડુમાં શાસક અન્નામુદ્રક દળના ધારાસભ્ય આર.કાનગારાજનું નિધન થયું. આર.કાનગારજનું હૃદયરોગનો હુમલો આવતાં તેમના નિવાસસ્થાનમાં જ નિધન થયું છે  પાર્ટી સૂત્રોએ તેની પુષ્ટી કરી છે. તેઓ 64 વર્ષના હતા. અને પરિવારમાં તેમની પત્ની, પુત્ર અને પુત્રી છે

   . પાર્ટી સૂત્રોએ જણાવ્યું કે તેઓ અખબાર વાંચી રહ્યા હતા તે સમયે અચાનક હૃદયરોગનો હુમલો થયો. ત્યારે તેમના પડોશમાંથી આવેલા તબીબે ધારાસભ્ય કાનગારાજને મૃત જાહેર કર્યા.

(12:07 pm IST)