Gujarati News

Gujarati News

News of Thursday, 22nd March 2018

મોદી કેરને કેબિનેટની મંજુરી : ઓક્ટો.થી શરૂ

૧૧ કરોડ લોકોને આવરી લેવાશે

        નવીદિલ્હી, તા. ૨૨ : કેન્દ્રીય કેબિનેટે એક મહત્વપૂર્ણ નિર્ણય કરીને બુધવારના દિવસે સરકારની મહત્વકાંક્ષી મોદી કેર હેલ્થ ઇન્સ્યોરન્સ સ્કીમને લીલીઝંડી આપી દીધી હતી. હેલ્થકેરમાં દેશના ૧૧ કરોડ ગરીબ પરિવારોને આવરી લેવામાં આવશે. આ એક પોર્ટેબલ સ્કીમ તરીકે રહેશે. જેનો લાભ ભારતમાં કોઇપણ જગ્યાએ ઉઠાવી શકાશે. ફેમિલીના કદ ઉપર કોઇ મર્યાદા લાગૂ કરવામાં આવી નથી. વય ઉપર પણ કોઇ મર્યાદા લાગૂ કરાઈ નથી. પેમેન્ટ પેકેજ રેટ ઉપર આધારિત રહેશે. ભારતમાં કોઇપણ જગ્યાએ તે અમલી બનશે. લાભ લેનાર વ્યક્તિને કેશલેસ બેનિફિટના લાભ લઇ શકાશે.

(7:34 pm IST)