Gujarati News

Gujarati News

News of Saturday, 22nd February 2020

પાક.ના ત્રણ જવાનો ઠાર : ૧૪ને ઇજા : છ ચોકીઓ નષ્ટ

ભારતીય સેનાનો પાક.ને જડબાતોડ જવાબ : પાક.ને થયુ ભારે નુકસાન

શ્રીનગર તા. ૨૨ : પાકિસ્તાની સેનાએ કુપવાડા સેકટરમાં એલઓસી પર સીઝ ફાયરનું ઉલ્લંઘન કરીને ભારે ગોળીબારી કરી સેનાએ વળતો જવાબ આપીને ત્રણ પાકિસ્તાની સૈનિકોને ફંકી માર્યા. જ્યારે અન્ય ૧૪ને ઇજા પહોંચી છે. પીઓકેની નીલમ વેલીમાં છ ચોકીઓ નષ્ટ થવાની સાથે જ ભારે નુકસાન થયાના અહેવાલો છે.

પાકિસ્તાન દ્વારા ગુરૂવારે સવારે સેનાની અગ્રીમ ચોકીઓની સાથે જ રહેણાંક વિસ્તારને નિશાન બનાવીને ગોળીબાર શરૂ કરી દેવામાં આવ્યો. અચાનક શરૂ થયેલા ગોળીબારમાં અફડાતફડી મચી ગઇ હતી. લોકો બચવા માટે ઘરોમાં કેદ થઇ ગયા. સેનાને પણ જવાબી કાર્યવાહી શરૂ કરી દીધી.

તેમાં પાકિસ્તાનને ભારે નુકસાન થયું છે. જેમાં પાક.ની છ ચોકીઓને ફુંકી મારવામાં આવી છે. તેમાં ત્રણ સૈનિકને ફુંકી મારવામાં આવ્યા. જ્યારે ૧૪ને અન્ય ઇજા પહોંચી છે. સેનાની જવાબી કાર્યવાહી બાદ પણ પાકિસ્તાનને કોઇ શીખ લીધી નથી. આજે એટલે કે શનિવારે પાકિસ્તાની સેનાએ એકવાર ફરી કિરની અને કસ્બા સેકટરમાં નિયંત્રણ રેખા પાસે આવેલા વિસ્તારોમાં સેનાની ચોકીઓની સાથે જ રહેણાંક વિસ્તારમાં નિશાન બનાવીને ગોળીબારી કરી છે. સરહદ પારથી મોર્ટાર શેલિંગ પણ કરવામાં આવી છે. ભારતીય સેના પાક.ની હરકતનો જવાબ જડબાતોડ આપી રહી છે.

(3:50 pm IST)