Gujarati News

Gujarati News

News of Saturday, 22nd February 2020

ગાંધી દર્શન ટી.વી. સીરીયલની ટીમ દિલ્હી પહોંચી

ગાંધીજીના જીવન કવન પર ટી.વી. સીરીયલ બનાવી રહેલ હસમુખભાઇ પરમાર અને તેમના પુત્રી પુજાબેન તથા નીકુલભાઇ વજશીભાઇ કંડોરીયા તાજતેરમાં દિલ્હીના પ્રવાસે નિકળ્યા હતા. કેન્દ્રીય મંત્રી મનસુખભાઇ માંડવીયાને મળી સીરીયલ વિષે ગહન ચર્ચા કરી હતી. એજ રીતે કેન્દ્રીય સદસ્ય ડો. સ્વરાજ વીહાનજીના ઘરે જઇ તેમને પણ સીરીયલની કામગીરીથી વાકેફ કર્યા હતા. વન લાઇન સ્ટોરીથી પ્રભાવિત થઇ તેઓએ પુજાબેન પરમાર (મો.૯૩૭૦૫ ૪૭૯૬૭) નું શાલ ઓઢાડી સન્માન કર્યુ હતુ. શુભેચ્છા મુલાકાત સમયની તસ્વીર નજરે પડે છે.

(3:32 pm IST)