Gujarati News

Gujarati News

News of Friday, 22nd February 2019

શહીદોના ઘરે ‘આંસુનો દરિયો' છલકાતો હતો અને ‘પ્રાઇમ ટાઇમ મિનિસ્‍ટર'દરિયામાં શુટિંગ કરી રહ્યા હતા

રાહુલનું ટ્‍વિટઃ તસ્‍વીરો પણ કરી શેર

નવીદિલ્‍હી, તા.૨૨:- કોંગ્રેસ અધ્‍યક્ષ રાહુલ ગાંધીએ પુલવામા આતંકી હુમલા અંગે વડાપ્રધાન નરેન્‍દ્રમોદી પર એક વાર ફરી હુમલો કર્યો છે. રાહુલે ટ્‍વિટ કર્યુ કે પુલવાનામાં ૪૦ જવાનોની શહાદતોની ખબર ત્રણ કલાક બાદ પણ પ્રાઇમ ટાઇમ મિનિસ્‍ટર' ફિલ્‍મ શુર્ટિગ કરી રહ્યા હતા દેશના દિલ તેમજ શહીદોના ઘરે દર્દનો દરિયો છલકાતો હતો અને તેઓ હંસીને શુટીંગ કરી રહ્યા હતા.

રાહુલનો આરોપ છે કે પુલવામા હુમલાના ત્રણ કલાક બાદ પણ પીએમ મોદી એક ચેનલ માટે ફિલ્‍મને શુટીંગ કરી રહ્યા હતા. રાહુલે વડાપ્રધાનની શુટિગ સાથેની તસ્‍વીરો પણ શેર કરી છે. કોંગ્રેસ પવકતા રણદીપ સુરજેવાલેએ આરોપ લગાવ્‍યો કે જયારે દેશ આ દુઃખ હુમલાના કારણે દુઃખમાં હતો. તે સમયે મોદીજી શુટિગમાં વ્‍યસ્‍ત હતા.

(3:20 pm IST)