Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd January 2020

મોદી સરકાર એલઆઇસીને નુકસાન પહોંચાડી કરોડો લોકોના ભવિષ્યને જોખમમાં નાખી રહી છેઃ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીની સટાસટી

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ સરકારી સ્વામિત્વવાળી જીવન વિમા નિગમ (એલઆઇસી) ના વધતા એનપીએને લઇ મોદી સરકાર પર નિશાન સાધ્યું છે. રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો કે સરકાર એલઆઇસીને નુકસાન પહોચાડી કરોડો લોકોના ભવિષ્યને જોખમમાં નાખી રહી છે.

        રાહુલ ગાંધીએ એક ખબરનો હવાલો આપતા ટવિટ કરી કહ્યું કરોડો ઇમાનદાર લોકોએ એલઆઇસીમાં રોકાણ કર્યુ કારણ તે આના પર વિશ્વાસ કરે છે મોદી સરકાર એલઆઇસીને નુકસાન પહોંચાડી તેના ભવિષ્યને જોખમમાં નાખી રહી છે અને જનતાના વિશ્વાસને નષ્ટ કરી રહી છે. એમણે દાવો કર્યો આ રીતની અલ્પદર્શિતાવાળા કદમોથી અફડાતફડી પેદા થાય છે અને આની ભયાવહ અસર થાય છે.

(9:25 pm IST)