Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd January 2020

૩૦ વર્ષ પહેલા વતન છોડવા મજબૂર બનેલા ૩ લાખ ૫૦ હજાર કાશ્મીરી હિન્દુ પંડિતોને સ્મૃતિ વંદનાઃ અમેરિકાના સુગરલેન્ડ ટેકસાસ મુકામે મીણબતી પ્રગટાવી સરઘસ યોજાયું

સુગરલેન્ડઃ અમેરિકામાં સુગરલેન્ડ ટેકસાસ મુકામે હિન્દુ અમેરિકન ફાઉન્ડેશન, ઇન્ડો અમેરિકન કાશ્મીર ફોરમ, તથા હિન્દુઝ ઓફ ગ્રેટર હયુસ્ટનના સંયુકત ઉપક્રમે તાજેતરમાં ૧૯ જાન્યુ ૨૦૨૦ના રોજ મીણબતી પ્રગટાવી સરઘસનું આયોજન કરાયું હતું. જેમાં ૩૦ વર્ષ પહેલા વતન છોડવા મજબૂર બનેલા કાશ્મીરી હિન્દુ પંડિતોને સ્મૃતિ વંદના કરાઇ હતી. તેવું જાણવા મળે છે.

(10:02 pm IST)