Gujarati News

Gujarati News

News of Monday, 22nd January 2018

ખાન ત્રિપુટી ઈઝરાયેલના વડાપ્રધાન નેતાન્યુહાને ન મળી : સોશ્યલ મીડીયામાં બન્યા અસલી હીરો

નવી દિલ્હી, તા.૨૨: અમિતાભ બચ્ચનના પરિવારે ઈઝરાયેલના વડપ્રધાન બેન્જામિન નેતાન્યાહુ સાથે સેલ્ફી લેવા પર ગર્વ અનુભવ્યું પણ બોલીવુડના ત્રણે એકકા ગણાતા આમીરખાન, સલમાનખાન, અને શાહરૂખખાને નેતાન્યાહુથી મળવાનો ઈન્કાર કર્યો હતો. કેટલાક લોકોએ આ પગલાંની આલોચના કરી હતી પણ ઘણા બધા લોકોએ તેમના માનવતાવાદી દ્રષ્ટિકોણના વખાણ પણ કર્યા હતા. વાસ્તવમાં વાત એ હતી કે, બોલીવુડના ત્રણેય સુપર સ્ટાર ખાનોએ એક એવા વ્યકિતથી મળવાનું પસંદ ન કર્યું કારણ કે તે એક યુદ્ધ આરોપી હતો અને માસૂમ પેલેસ્ટીની બાળકો, મહિલાઓ અને વૃદ્ધોની ઘણી સંખ્યામાં હત્યા કરી હતી. ત્રણેય ખાનોની સોશિયલ મીડીયા પર તેમના માનવતાપૂર્ણ પગલાંની વ્યાપક પ્રમાણમાં વખાણ કરવામાં આવી રહ્યા છે. બોલીવુડ અભિનેતા એઝાઝખાને પણ બચ્ચન અને કરણ જોહરની આલોચના કરી છે.

(4:14 pm IST)