Gujarati News

Gujarati News

News of Monday, 21st December 2020

હિમાચલ અને તામિલનાડુના ખેડૂતો દિલ્હી પહોંચ્યાઃ મુંબઈમાં કાલે અંબાણીના ઘરે ઘેરાવ થશે

ઉપરોકત તસ્વીરમાં યુપીગેટ ઉપર ૧૧ ખેડૂતો રીલે ભૂખ હડતાલ ઉપર બેઠેલા નજરે પડે છે

ખેડૂતોના આંદોલનના આજે ૨૬માં દિવસે ૧૧ હજાર ખેડૂતો દરરોજ ૨૪ કલાકની ભૂખ હડતાલ ઉપર બેસી ગયા છે : આ ૧૧ ખેડૂતોના ઉપવાસ ખતમ થશે ત્યારબાદ બીજા ૧૧ ખેડૂતો ઉપવાસ પર બેસશે : આ રીતે રીલે ચેન ચાલુ રહેશે : સાથે જ આગળ ઉપર ટોલનાકા ફ્રી કરાવવાનું અને થાળી વગાડવાના કાર્યક્રમ યોજાશે : દરમિયાન આજે હિમાચલ અને તામિલનાડુના સેંકડો ખેડૂતો દિલ્હી પહોંચ્યા છે : મુંબઈમાં આવતીકાલે રિલાયન્સના અધિપતિ અંબાણીના અબજો રૃપિયાના નિવાસસ્થાન ઉપર ખેડૂતો ઘેરાવ કરશે તેવી જાહેરાત થયાનું પ્રસિદ્ધ થયુ છે : રાષ્ટ્રીય કિશાન મજદૂર સંગઠનના રાષ્ટ્રીય અધ્યક્ષ સરદાર વી.એમ.સિંહ આવતીકાલે મંગળવારે ખેડૂતોના સમર્થનમાં અંબાણી પાસે માંગણીઓ કરશે. 

(4:19 pm IST)