Gujarati News

Gujarati News

News of Monday, 21st December 2020

બાંગ્લાદેશમાંથી ઘુષણખોરી અને રાજકીય હીંસા રોકવા પરિવર્તન આવશે : અમિતભાઇ

બંગાળને વિકાસની રાહ ઉપર લાવીશું : ગૃહમંત્રી શાહ

કોલકતા,તા. ૨૧: પશ્ચિમ બંગાળના બીરભૂમ જીલ્લામાં અમિતભાઇએ રોડ શો કરેલ. આ રોડ શોમાં તેમણે જણાવેલ કે, આવો રોડ શો મે જોયો નથી. બંગાળની જનતાએ બતાવી દીધુ છે કે હવે તેઓ પરિવર્તન ઇચ્છે છે.

અમિતભાઇએ વધુમાં જણાવેલ કે મોટી સંખ્યામાં લોકોનું આવું મમતા દીદી પ્રત્યેનો લોકોના ગુસ્સો દેખાડે છે. આ રોડ શો વડાપ્રધાન નરેન્દ્રભાઇ માટેના પ્રેમ અને વિશ્વાસને દર્શાવે છે. ભાજપ જ્યાં પણ સત્તામાં આવી છે. તે રાજ્ય વિકાસની રાહે ચાલ્યુ છે. બંગાળમાં જે પરિવર્તન આવનાર છે તે વિકાસ માટે છે. તે બાંગ્લાદેશથી ઘુષણખોરો અને રાજનૈતિક હત્યાઓને રોકવા માટે હશે.

બંગાળના પ્રવાસ દરમિયાન તેઓએ વિશ્વ ભારતી યુનિ. જઇને રવિન્દ્રનાથ ટાગોરને શ્રધ્ધાંજલી અર્પી હતી. તેમણે બીરભૂમમાં બાઉલ ગાયક બાસુદેવના ઘરે ભાત, રોટી, પાલક, દાળ, રીંગણાનું શાક, ગોળની મીઠાઇ,ચટણી અને પાપડનું ભોજન કરેલ.

(3:26 pm IST)