Gujarati News

Gujarati News

News of Monday, 21st December 2020

કાશ્મીરના અનંતનાગમાં આતંકવાદીઓએ કર્યો CRPF પર ગ્રેનેડથી હુમલો: એક જવાન ઘાયલ

અનંતનાગના અચબલના મુખ્ય બસ સ્ટોપ પર ગ્રેનેડ ફેંકાયો : હુમલામાં એક દુકાનદાર પણ ઈજાગ્રસ્ત

જમ્મુ કાશ્મીરના અનંતનાગમાં સીઆરપીએફના કાફલા પર આતંકીઓએ ગ્રેનેડથી હુમલો કર્યો છે. હાલની જાણકારી અનુસાર, આ હુમલામાં સીઆરપીએફનો એક જવાન ઈજાગ્રસ્ત થયો છે. આ હુમલામાં એક દુકાનદાર પણ ઈજાગ્રસ્ત થયા હોવાની સૂચના છે. અનંતનાગના અચબલના મુખ્ય બસ સ્ટોપ પર ગ્રેનેડ ફેંકવામાં આવ્યો. અહીં પર સીઆરપીએફ પેટ્રોલિંગની પાર્ટી તૈનાત છે. ગ્રેનેડ રસ્તા પર જઈ ફાટ્યો જેમાં એક સીઆરપીએફનો જવાન ઈજાગ્રસ્ત થયો છે.

ઘાયલ સીઆરપીએફના જવાન અને દુકાનદારને અચબલની જિલ્લા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે, અહીં તેમની સારવાર ચાલી રહી છે. બંનેની હાલત સ્થિર છે. બંનેમાંથી કોઈ ગંભીર રીતે ઈજાગ્રસ્ત નથી.

(8:27 am IST)