Gujarati News

Gujarati News

News of Monday, 21st December 2020

ખેડૂત આંદોલનને અન્ના હજારેનું સમર્થન : દિલ્હીમાં પ્રદર્શનની તૈયારી

અન્ના હઝારેએ કેન્દ્ર સરકારના ત્રણ કૃષિ કાયદાની વિરુધ્ધ ખેડૂતોના સમર્થનમાં મેદાનમાં ઉતરશે

નવી દિલ્હી : દેશના જાણીતા સમાજ સેવક અન્ના હજારેએ કૃષિ કાયદા વિરુદ્ધ આંદોલન જાહેર કર્યું, રામ લીલા મેદાનમાં દેખાવોની તૈયારીઓ! સામાજિક કાર્યકર્તા અન્ના હઝારેએ કેન્દ્ર સરકારના ત્રણ કૃષિ કાયદાની વિરુધ્ધ ખેડૂતોના સમર્થનમાં દિલ્હીમાં આંદોલનની જાહેરાત કરી છે. અન્ના હજારે દિલ્હીના જંતરમંતર અથવા રામ લીલા મેદાનમાં આંદોલન કરશે. આ માટે અન્ના હઝારેએ કેન્દ્ર સરકારને આવેદનપત્ર પાઠવ્યું છે.

(12:00 am IST)