Gujarati News

Gujarati News

News of Thursday, 21st November 2019

અનુકરણીય : ચીફ જસ્ટિસ રંજન ગોગોઇએ નિવૃત્તિના બે દિ 'માં સરકારી બંગલો ખાલી કરી દાખલો બેસાડ્યો

મોટાભાગના રાજકારણીઓ સરકારી બંગલો ખાલી કરવામાં અખાડા કરે છે

નવી દિલ્હી : દેશના ચીફ જસ્ટિસ રહી ચૂકેલા રંજન ગોગોઇએ આ પદ પરથી નિવૃત્ત થયાના માત્ર બે દિવસમાં સરકારી બંગલો ખાલી કરી આપ્યો હતો.

જસ્ટિસ ગોગોઇ 17 નવેંબરે નિવૃત્ત થયા હતા. એ પછી માત્ર બે દિવસ બાદ એમણે લાગતા વળગતા સરકારી ખાતાને જાણ કરી હતી કે મેં બંગલો ખાલી કરી નાખ્યો છે. તમે કબજો લઇ શકો છો.

આ બીજો બનાવ છે. અગાઉ દેશના ચીફ જસ્ટિસપદેથી નિવૃત્ત થયેલા જસ્ટિસ દીપક ખેહરે પણ નિવૃત્તિના એક સપ્તાહમાં સરકારી બંગલો ખાલી કરી આપ્યો હતો.

  મોટા ભાગના પોલિટિશ્યનો- પ્રધાનો, સાંસદો અને ધારાસભ્યો બંગલા ખાલી કરવામાં અખાડા કરતા હોય છે ત્યારે આ બીજા ચીફ જસ્ટિસ છે જેમણે નિવૃત્તિના ગણતરીના કલાકોમાં બંગલો ખાલી કરી નાખ્યો હતો અને પોતાના વતનમાં જવા રવાના થઇ ગયા હતા

(1:16 pm IST)