Gujarati News

Gujarati News

News of Wednesday, 21st November 2018

લોકો કેરલ સરકારને બોધપાઠ ભણાવશેઃ સબરીમાલા મંદિર મામલે કેન્‍દ્રીય મંત્રીની ટીપ્‍પણી

કેરલના પથનમથિટ્ટા જિલ્લામાં ભગવાન અયપ્‍પા ના દર્શન કરવા  ગયેલા કેન્‍દ્રીય  રાજય મંત્રી પોન રાધાકૃષ્‍ણનએ કહ્યું કે પોલીસ ખોટી રીતે  પ્રતિબંધ લગાવી સબરીમાલા મંદિરે આવતા શ્રધ્‍ધાળુઓને પરેશાન કરે છે.

રાજય સરકાર દ્વારા આપવામાં આવેલી સુવિધાઓની સમીક્ષા કર્યા પછી કેન્‍દ્રીય મંત્રીએ કહ્યું હું એક શ્રધ્‍ધાળુના રૂપમાં આવ્‍યો છુ. હું અહિયા નિયમીત આવુ છુ અને પ્રતિબંધોના લીધે ખરેખર દુઃખી છુ.

પંબામાં સંવાદદાતાઓ સાથે વાત કરતા કેન્‍દ્રીય રાજયમંત્રીએ કહ્યું કે કેરલ સરકારે પોતે જ સમજી જવું જોઇએ નહી તો લોકો સમજાવશે. 

(11:43 pm IST)