Gujarati News

Gujarati News

News of Wednesday, 21st November 2018

મુખ્યમંત્રી કેજરીવાલ પર મિર્ચી એટેકના આરોપી અનીલ શર્મા 14 દિવસની જ્યુડીશ્યલ કસ્ટડીમાં

નવી દિલ્હી :દિલ્હી સચિવાયલમાં રાજ્યના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ પર મિરચી એટેક કરનાર આરોપી અનિલ કુમાર શર્માને 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દીધો છે.  

   પોલીસે આરોપી અનીલકુમારને કોર્ટમાં રજૂ કરીને તેના રિમાન્ડ માંગ્યા હતા પરંતુ કોર્ટે તેને 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપ્યો હતો  આ પહેલા અનિલ શર્મા વારંવાર પોતાના નિવેદનો બદલી રહ્યો હતો.

(10:08 pm IST)