Gujarati News

Gujarati News

News of Wednesday, 21st November 2018

કેટલાક મોબાઇલ યુઝર્સને લાગશે ૪૪૦ વોલ્ટનો ઝાટકો : બંધ થશે ફ્રી ઇનકમિંગ સર્વિસ

છેલ્લા કેટલાક સમયમાં એવું જોવા મળ્યું છે કે, કેટલાક ગ્રાહકો પોતાનું કનેકશન માત્ર ઇનકમિંગ પર જ ચલાવી રહ્યા છે : આવા ઇનકમિંગ કોલ ચાલુ રાખવા માટે હવે રિચાર્જ કરાવવું પડશે : સતત રિચાર્જ કરાવતા અથવા લાંબા વેલિડિટિવાળા પ્લાન સિલેકટ કરનારા યુઝર્સની કોઇ સર્વિસ બંધ નહિ થાય

નવી દિલ્હી તા. ૨૧ : એરટેલ, વોડાફોન જેવી ટેલિકોમ કંપનીઓના પ્રાઈસવોરમાં થયેલા નુકસાન બાદ હવે તેમને પોતાની સ્ટ્રેટેજીમાં બદલાવ કરવો પડી રહ્યો છે. રિલાયન્સ જિયોની એન્ટ્રી બાદથઈ કંપનીઓ સતત સસ્તા અને ફ્રી કોલ્સ આપીને નુકશાની વેઠી રહી છે. હવે કંપનીઓને પોતાની સ્ટ્રેટેજી બદલવી પડી રહી છે. કંપનીઓ જલ્દી જ ફ્રી ઈનકમિંગ સર્વિસ બંધ કરી શકે છે. કંપનીઓ તેના માટે મિનીમમ રિચાર્જ પ્લાન પણ લોન્ચ કરવાનું શરૂ કરી દીધું છે. મતલબ એ છે કે, લાંબા સમયથી મળી રહેલી ફ્રી ઈનકમિંગ સર્વિસ હવે બંધ થઈ શકે છે.

એરટેલ, વોડાફોન પોતાના એવરેજ પર રેવન્યુ (ARPU)ને વધારવા પર જોર આપી રહી છે. તો તેમનું ફોકસ એ ગ્રાહકો પર છે, જયાંથી તેમને પ્રોફિટ મળે છે. ટેલિકોમ કંપનીઓએ ઈનકમિંગ સર્વિસ માટે ૨૮ દિવસની વેલિડિટીવાળા પ્લાન લોન્ચ કર્યાં છે. હવે યુઝર્સને ઈનકમિંગ કોલ માટે પણ દર મહિના રિચાર્જ કરાવવાનું રહેશે. કંપનીઓએ આ માટે ત્રણ પ્રકારના પ્લાન બનાવ્યા છે. તેમાં ૩૫ રૂપિયા, ૬૫ રૂપિયા અને ૯૫ રૂપિયાના પ્લાન છે. ત્રણેય પ્લાનની વેલિડિટી ૨૮ દિવસ રહેશે. ૨૯મા દિવસે આઉટગોઈંગ બંધ કરી દેવામાં આવશે. જોકે, ઈનકમિંગ સર્વિસ બંધ કરવા માટે કંપનીઓ ગ્રાહકને થોડો સમય આપશે.

હકીકતમાં કંપનીઓએ એવા ગ્રાહકોનું લિસ્ટ તૈયાર કરી રહી છે, જે માત્ર ઈનકમિંગ પર પોતાનું કનેકશન ચલાવી રહ્યા હતા. અથવા તો જરૂર પડવા પર થોડી રકમ ભરીને રિચાર્જ કરાવતા હતા. આવા યુઝર્સને કારણે કંપનીઓના ARPUમાં નુકશાન થઈ રહ્યું હતું. વોડાફોન ઈન્ડિયાના એક વરિષ્ઠ અધિકારીના જણાવ્યા મુજબ, ટેલિકોમ સેકટર હાલ પ્રાઈસવોરમાં ભેરવાયું છે. તેથી તેમણે આ પ્રકારનું પગલુ લીધું છે.

કંપનીઓ માત્ર એ યુઝર્સની ઈનકમિંગ સર્વિસ બંધ કરશે, જે નિયમિત રિચાર્જ નથી કરાવતા. હકીકતમાં, છેલ્લા કેટલાક સમયમાં એવું જોવા મળ્યું છે કે, કેટલાક ગ્રાહકો પોતાનું કનેકશન માત્ર ઈનકમિંગ પર જ ચલાવી રહ્યાં છે. આવા ઈનકમિંગ કોલ ચાલુ રાખવા માટે હવે રિચાર્જ કરાવવું પડશે. સતત રિચાર્જ કરાવતા અથવા લાંબા વેલિડિટીવાળા પ્લાન સિલેકટ કરનારા યુઝર્સની કોઈ સર્વિસ બંધ નહિ થાય.

કંપનીઓના ટોપર હવે રિચાર્જ પર ગ્રાહકોને કેટલોક ટોકટાઈમ મળતો હતો. દર મહિને સમયમર્યાદા મળતી હતી. તે પુરુ થયા બાદ હવે કંપની ગ્રાહકની આઉટગોઈંગ સર્વિસ બંધ કરી શકે છે. પરંતુ ઈનકમિંગ સર્વિસ ચાલુ રહેતી હતી. હવે ઈનકમિંગ રાખવા માટે દર મહિને રિચાર્જ કરાવતા રહેવું પડશે. રિચાર્જની તારીખ ૪૫ના દિવસ સુધી ઈનકમિંગ સર્વિસ બંધ નહિ થાય. તેના બાદ રિચાર્જ ન કરાવવા પર સર્વિસ બંધ કરી દેવાશે.

એરટેલ, વોડાફોનના પ્રીપેડ ગ્રાહકો માટે ઓછી રકમનો જે પ્લાન છે, તે ૩૫ રૂપિયાનો છે. ૩૫ રૂપિયાના રિચાર્જ કરાવવા પર ગ્રાહકોને ૨૬ રૂપિયાનું બેલેન્સ મળે છે. તો ૨૮ દિવસની તેની વેલિડીટી છે. વેલિડિટી પૂરી થયા બાદ બેલેન્સ હોવા છતાં પણ આઉટગોઈંગ બંધ થઈ જશે. જોકે, બીજીવાર રિચાર્જ કરાવવા પર જૂનુ બેલેન્સ ફરીથી જોડાઈ જશે.

વોડાફોનના એક વરિષ્ઠ અધિકારીઓનું કહેવું છે કે, કંપનીઓને તેનાથી થોડા સમય માટે નુકશાન થવાની શકયતા છે. કેમ કે, ઘણા પ્રીપેડ ગ્રાહકો એવા છે, જે માત્ર ઈનકમિંગ કનેકશન પર છે. આવામાં કંપનીઓ આ ગ્રાહકોની સર્વિસ બંધ કરીને તેમને પોતાના લિસ્ટમાંથી હટાવવાના રહેશે. કનેકશન બંધ કરવાની સ્થિતિમાં ગ્રાહકો ઓછા થઈ શકે છે. તો એરટેલના ચીફ એકિઝકયુટિવ ઓફિસર ગોપાલ વિટ્ટલનું કહેવું છે કે, આશા છે કે આ નિર્ણયથી કંપનીના ARPUમાં સુધારો જોવા મળશે.

(3:40 pm IST)