Gujarati News

Gujarati News

News of Wednesday, 21st November 2018

મંદિરના ભંડારામાંથી ઉઠાવેલી ૯ બાળકીને હવસનો શિકાર બનાવી કરી હત્યા

તમામ બાળકીઓની ઉંમર ૩થી ૮ વર્ષની હતી

નવી દિલ્હી તા. ૨૧ : ગુડગાંવ સેકટર-૬૬માં ત્રણ વર્ષની બાળકીના રેપ બાદ હત્યા કરનાર આરોપીના ખુલાસાએ પોલીસના પણ હોશ ઉડાવી દીધા છે. પૂછપરછમાં આરોપીએ જણાવ્યું કે તે આ રીતે ૯ માસૂમ બાળકીઓની હત્યા કરી ચૂકયો છે. આરોપીએ આ તમામ બાળકીઓની સાથે પહેલા રેપ કર્યો અને બાદમાં હત્યા કરી. ચોંકી જવાય એવી વાત તો એ છે કે આ તમામ બાળકીઓની ઉંમર ૩થી ૮ વર્ષની હતી. આ કેસમાં ૩ ઘટના ગુડગાંવ, ૪ ઘટના દિલ્હી, ૧ ઘટના ગ્વાલિયર અને ૧ ઝાંસી સાથે જોડાયેલી છે.

આરોપી ઘણીવખત મંદિરોના ભંડારામાં જતો હતો અને ત્યાંથી બાળકીઓનું અપહરણ કરતો હતો. મંગળવારે પ્રેસ કોન્ફરન્સ દરમિયાન ડીસીપી ક્રાઈમ સુમિત કુમારે જણાવ્યું કે તપાસ દરમિયાન પોલીસને જાણવા મળ્યું છે કે આરોપી રસ્તા પાસે કયાંય પણ સૂઈ જતો હતો, અને કયારેક મજૂરી પણ કરતો હતો. સાથે જ ભંડારામાં ભોજન લેવાનો તેને શોખ હતો.

આ આરોપીની ધરપકડ કરવા માટે પોલીસે ગત મંગળવારે ગુડગાંવના એક હનુમાન મંદિરમાં, ગુરૂવારે સાંઈબાબાના મંદિરમાં, શનિવારે શનિ મંદિરમાં ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું. સાથે જ તપાસ દરમિયાન ૧૦૦થી વધુ પોલીસવાળાઓે રસ્તા નજીક સૂતા લોકો, કંસ્ટ્રકશન સાઈટ પર મજૂરી કરતા લગભગ ૨ હજાર લોકોને ચેક કર્યા. છતાં આ આરોપી ગુડગાંવમાંથી પકડાયો નહીં.

(10:29 am IST)